*સાયલાના ધજાળા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો.* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9s60tycv90ccjfsy/" left="-10"]

*સાયલાના ધજાળા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો.*


*સાયલાના ધજાળા પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો.*

ડીએસપી શ્રી હરેશકુમાર દુઘાત સાહેબને ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી શ્રી કિરીટભાઈ ખવડ દ્વારા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા .

સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન લોકદરબાર યોજાયો જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી હરેશકુમાર દુધાત સાહેબ તેમજ લીંબડી ડીવાયએસપી શ્રી સી.પી.મુંધવા સાહેબ હાજર રહ્યા .ધજાળા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ધજાળા ખાતે દીપ પ્રગટાવી કર્યક્રમની શરૂઆત કરી.ડીએસપી હરેશકુમાર દુધાત સાહેબ તેમજ ડીવાયએસપી સી.પી. મુંધવા સાહેબને સંજયભાઈ મકવાણા તેમજ કિરીટભાઈ ખવડ દ્વારા સાલ ઓઢાડી પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું .ત્યાર બાદ ધજાળા પીએસઆઇ શ્રી એમ.કે.ઇસરાની સાહેબ દ્વારા ડીવાયએસપી શ્રી સી.પી.મુંધવા સાહેબને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા .લોકદરબારમાં ગ્રામજનોને કોઈ મુશ્કેલી હોઈ તો જણાવવા સૂચન કરવા જણાવાયું તેમજ ડીએસપી દ્વારા વ્યસનમુક્તિ જેવા કોઈ કાર્યક્રમમાં સાથ આપવા અને ગ્રામજનો તેમજ પોલીસ વચ્ચે સુમેળ અને શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી કામગીરી કરવા જણાવાયું.ધજાળા પોલીસ સ્ટેશનની બાંધકામ કામગીરી ચાલુ કરવા ગ્રામજનોએ માંગ કરી.
ધજાળા તેમજ આજુબાજુના ગ્રામજનો તેમજ આગેવાનો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.ધજાળા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]