હિંમતનગર સાબરડેરી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો - At This Time

હિંમતનગર સાબરડેરી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો


હિંમતનગર સાબર ડેરી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો
***********
જિલ્લાના ૧૧૯૩ સ્વસહાય જૂથોને ૧૨૭૯.૬૯ લાખની સહાય ચૂકવવામાં આવી હતી.  
*************
સરકાર દ્વારા નાનામાં નાના માણસના વિકાસની યોજનાઓ અમલી બનાવાઇ છે.
                                                                 મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર
 
    સાબરકાંઠા જિલ્લામાં  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમની સરકારને એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત સાબર ડેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્ર્મ યોજાયો હતો.  
 
    ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા અને વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
 
         આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે,  વિશ્વાસથી વિકાસયાત્રા દ્વારા ૨૦ વર્ષના વિકાસ કામોનો તમામ લાભાર્થીઓ લાભ લઈ શકે અને સરકારી યોજનાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર કામ કરી રહી છે. વડાપ્રધાનશ્રીને  જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી. ગુજરાતમાં વિશ્વાસ અને વિકાસ એકબીજાના પર્યાય બની ગયા હોવાનું જણાવ્યું હતું. ૨૦ વર્ષમાં ગુજરાતમાં વિકાસે હરણફાળ ભરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે આરંભેલી વિકાસયાત્રાને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતે વધુ વેગવાન બનાવી છે.
 
    આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ સખીમંડળો વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણ કરવામાં આવ્યું. જેમાં ૨૪૬ સ્વસહાય જૂથોને રીવોલ્વીંગ ફંડ પેટે રૂ. ૭૩.૮૦ લાખની રકમ, કોમ્યુનિટી ઇનવેસ્ટમેન્ટ ફંડ પેટે ૨૭૯ સ્વ સહાય જૂથોને રૂ. ૨૩૬.૭૪/- લાખની રકમ તેમજ કેશ ક્રેડિટ પેટે ૬૬૮ સ્વસહાય જૂથોને ૯૬૯.૧૫ લાખની રકમ ફાળવવામાં આવી હતી. આમ કુલ ૧૧૯૩ સ્વસહાય જૂથોને રૂ. ૧૨૭૯.૬૯ લાખની રકમ ચૂકવવામાં આવી હતી.
          આ પ્રસંગે  નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબાએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
 
      આ પ્રસંગે સાબરડેરીના ચેરમેન શ્રી શામળભાઇ પટેલ, વાઇસ ચેરમેનશ્રી બ્રીજેશભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી રમિલાબેન જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પાટીદાર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ  અને મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ, સ્વસહાય જૂથની બહેનો,ખેડૂતો  ઉપસ્થિત રહ્યા હતા. 

અહેવાલ આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.