રાજકોટમાં માતા પર કુકરથી હુમલો કરનાર બે બહેનો મુંબઈથી મળી આવી, પોલીસને કહ્યું: માતા-પિતા સાચવતા ન હતા એટલે નાસી ગયા - At This Time

રાજકોટમાં માતા પર કુકરથી હુમલો કરનાર બે બહેનો મુંબઈથી મળી આવી, પોલીસને કહ્યું: માતા-પિતા સાચવતા ન હતા એટલે નાસી ગયા


બૂટલેગર પિતાએ સોંપેલી ‘રખેવાળી’થી કંટાળી બે પુત્રીઓ માતાને મારીને ફરાર થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

માતાએ બન્નેને અટકાવવા પ્રયાસ કરતાં તેમને કૂકર મારીને બન્ને બહેનો ચાલી ગઈ હતી

આજથી અંદાજે ત્રણેક મહિના પહેલાં રાજકોટના વેલનાથપરા પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતી બે સગી બહેનો માતાને માથામાં કૂકર મારી ફરાર થઈ જવાની ઘટનામાં નવો જ વળાંક સામે આવ્યો છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે એવી અટકળો વહેતી થઈ હતી કે બન્ને બહેનોને ભણવાનું ગમતું ન હોય તે બાબતે માતા-પિતા દ્વારા વારંવાર ઠપકો અપાતો હોવાથી કંટાળીને ઘર છોડી દીધું હતું. જો કે પોલીસે બન્ને બહેનોને પકડીને પૂછપરછ કરતાં નવો જ ખુલાસો થયો છે. 

મુંબઈથી પકડાયેલી બન્ને બહેનોએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે તેનો પિતા બૂટલેગર હોય તેમને પોલીસ આવી ન જાય તે માટે ‘રખેવાળી’ કરવાનું કહ્યું હતું. જો કે એક વખત પોલીસ આવી જતાં પિતાની ધરપકડ થઈ ગઈ હતી. આ પછી છૂટ્યા બાદ બન્ને બહેનોને માર માર્યો હોય કંટાળીને ઘર છોડી દીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.