બોટાદ ખાતે તા.૧૨ ઓગસ્ટના રોજ ૭૩ મો વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે
બોટાદ જિલ્લામાં ૭૩ મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સ્થિત શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર,હરણકુઈ, બોટાદ ખાતે તા.૧૨-૦૮-૨૦૨૨ ને સવારના ૦૯-૦૦ કલાકે માન. રા. ક. મંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ અધ્યક્ષશ્રી વિનોદભાઈ મોરડીયા ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે તથા અતિથિ વિશેષમાં વન સંરક્ષક્શ્રી મુકેશ કુમાર ઉપસ્થિત રહેશે.
બોટાદ ખાતે યોજાનાર આ વન મહોત્સવની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.