જસદણના કાનપર ગામે આગામી રવિવારે ખોડીયાર માતાજીનો નવરંગો માંડવો યોજાશે - At This Time

જસદણના કાનપર ગામે આગામી રવિવારે ખોડીયાર માતાજીનો નવરંગો માંડવો યોજાશે


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના કાનપર ગામે આગામી તા.૫ મે ને રવિવારના રોજ શ્રી ઝુંડવાળી ખોડીયાર માતાજીનો ૨૪ કલાકનો માતાજીનો માંડવો યોજાશે આ અંગે પુજારી પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે કાનપરના શ્રી ખોડીયાર માતાજીના મહંત દલસુખપરી બાપુ અને કાનપર શ્રી ઝુંડવાળી ખોડીયાર માતાજીના પુજારી પરિવાર દ્વારા જે માંડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે એમાં કાનપર, પ્રતાપપુર, સાણથલી, જસાપર મોટાદડવા ઇશ્વરિયા દેતડીયા કરમાળ કોટડા પાંચવડા જુના પીપળીયા સાંઢવાયા આટકોટ જસદણ કલોરાણા ગામ સહિતનાં હજજારો ભાવિકો ઉમટી પડી આસ્થાના ફૂલો ન્યોછાવર કરશે રવિવારે સવારથી નવરંગા માંડવાનું મુર્હૂત થશે અને સોમવાર સવાર સુધી ચાલનારા આ માંડવામાં ભકતોને કોઈ હાલાકી વેઠવી ન પડે તે માટે આયોજકોએ પાણી થી લઈ પ્રસાદ સુધીનું આયોજન કર્યુ છે આ પ્રસંગને લઈ દલસુખપુરી, અશોકપુરી, મનુપુરી ભરતપુરી સહિતનાઓએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.