દામનગરમાં નારોલા પરિવાર દ્વારા આયોજીત રક્તદાન શિબિરમાં ૯૨ યુનિટ રક્ત એકત્ર થતા આભારની લાગણી. - At This Time

દામનગરમાં નારોલા પરિવાર દ્વારા આયોજીત રક્તદાન શિબિરમાં ૯૨ યુનિટ રક્ત એકત્ર થતા આભારની લાગણી.


દામનગરમાં નારોલા પરિવાર દ્વારા આયોજીત રક્તદાન શિબિરમાં ૯૨ યુનિટ રક્ત એકત્ર થતા આભારની લાગણી. એક વ્યક્તિના રક્તદાન થી બીજી વ્યક્તિને જીવનદાન મળતું હોય છે. જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થવાના ઉમદા આશય સાથે પટેલ વાડી દામનગરમાં ચાલી રહેલ નારોલા પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહના આજે છઠ્ઠા દિવસે યોજવામાં આવેલ રક્તદાન શિબિરમાં ૯૨ લોકોએ પોતાનું અમૂલ્ય રક્તનું દાન કરીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.બ્લડ બેંક ભાવનગરની ટીમે ખુબજ પ્રશંસનીય સેવા આપીને આનંદ વિભોર થયા હતાં. બ્રીજેશભાઈ સવજીભાઈ નારોલાએ પરિવાર વતી રક્તદાતાઓ અને બ્લડ બેંકનો હૃદયપૂર્વક આભાર માનેલ.( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.