સનાતન શોભાયાત્રાની સફળતાથી આયોજકોનો ઉત્સાહ બેવડાયો, બે દિવસ ડાયરાનું આયોજન - At This Time

સનાતન શોભાયાત્રાની સફળતાથી આયોજકોનો ઉત્સાહ બેવડાયો, બે દિવસ ડાયરાનું આયોજન


સનાતન શોભાયાત્રાની સફળતાથી આયોજકોનો ઉત્સાહ બેવડાયો, બે દિવસ ડાયરાનું આયોજન

-રાજમાર્ગો ઉપર નીકળેલી વિશાળ શોભાયાત્રાનું કરાયું અભૂતપૂર્વ સ્વાગત

-ભાજપ-કોંગ્રેસ અને શિવસેના સહિત બધા સમાજ દ્વારા કર્યું સ્વાગત

આગામી પહેલી અને બીજી જૂન ના દિવસે રાજકોટના રેસકોર્સમાં યોજાનારા બાગેશ્વર સરકાર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મહા દિવ્ય દરબાર અન્વયે રાજકોટમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા ને ઠેર ઠેર આવકાર મળ્યો હતો. આ યાત્રાને ઐતિહાસિક સફળતા મળતા બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્યોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે અને રાજકોટના મહા દિવ્ય દરબારમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવી ધારણા રાખી રહ્યા છે

આ શોભા યાત્રામાં બાઈક અને કાર વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રાના પ્રથમ રથ માં બિરાજમાન હનુમાનજી દાદાને મેયર પ્રદીપભાઈ ડવ, લાભુભાઈ ખીમાણિયા, ઘનશ્યામભાઈ હેરભા, યોગીનભાઈ છનિયારા, ગુણુભાઈ ડેલાવાળા, ભરતભાઇ દોશી, શાંતુંભાઈ રૂપારેલ રાજદીપસિંહ જાડેજા રિબડા, દ્વારા ફુલહાર પહેરાવીને અને ધજા ફરકાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1500 થી વધુ વાહનો, વનારસેના, રાજસ્થાની ઢોલ, એન્ટિક કારો, ત્રિકોણબાગ ચોકમાં શિવસેનાના જીમી અડવાણી અને અન્ય દ્વારા સ્વાગત કરાયું હતું. આ જ રીતે શહેર કોંગ્રેસ દ્વારા પણ સ્વાગત કરાયું હતું. રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ, સંસદ રામભાઇ મોકરિયા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,ડોક્ટર દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, પટેલ સમાજ ના નંદલાલભાઈ માંડવીયા અરવિંદભાઈ પટેલ ફિલ્ડ માસ્તર સહિતના અગ્રણીઓએ આ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું.
બાગેશ્વર ધામ સમિતિ રાજકોટ દ્વારા આયોજિત આ શોભાયાત્રા ઇન્ચાર્જ વિજયભાઈ વાંક, કૃષ્ણસિંહ જાડેજા, સુરજભાઈ ડેર , રાજવીરસિંહ વાળા અને કેયુરભાઈ રૂપારેલ ના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ આ શોભાયાત્રા ની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

દરમિયાન પહેલી અને બીજી જૂને બાગેશ્વર બાબા ની વાણી નો લાભ લેવા માટે આવનારા લોકો ને ડાયરાનો લાભ પણ મળશે. પેલી તારીખ ને ગુરુવારે બપોરે ચાર થી પાંચ દરમિયાન રાજભા ગઢવી અને તૃપ્તિબેન ગઢવી ના લોક ડાયરા નુંM આયોજન કરાયું છે આજ રીતે તારીખ બીજી ને શુક્રવારે બપોરે ચાર થી પાંચ દરમિયાન જીગ્નેશ કવિરાજ , ગીતાબેન રબારી, રાજેશ આહીર સંગીતાબેન લાબડીયાના લોકસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ રાજકોટની જનતાને બાબા બાગેશ્વરના મહા દિવ્ય દરબારમાં ઉમટી પડવા હાકલ કરી છે. તેમણે કહ્યું છે કે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે જે સૌ માટે ગૌરવ ની વાત છે. આ શોભાયાત્રા.આ ખીરસરા આશ્રમના મહંત પૂજ્ય ભક્તિ સ્વામી એ ખાસ હાજરી આપી હતી, તેમણે કહ્યું હતું કે આ શોભાયાત્રા ના ભૂતો ન ભવિષ્યતી જેવી છે અને કાર્યકરોએ દર વર્ષે આજના દિવસે આ જ પ્રકારની શોભાયાત્રા યોજવી જોઈએ તેઓ સૂચન પણ કર્યું હતું. આ શોભાયાત્રાની શરૂઆત શાસ્ત્રી મેદાનથી થઈ હતી પ્રારંભમાં બાગેશ્વર ધામ સેવા સમિતિના સક્રિય સભ્ય અને કાર્યાલય ઇન્ચાર્જ ભરતભાઈ દોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે આ શોભાયાત્રામાં જોડાવા માટે આવેલા સંતો મહંતો શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોને આવકાર્યા હતા. વાઘેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય યોગીનભાઈ છનિયારાએ આભાર વિધિ કરી હતી.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.