સિહોર તાલુકાના સોનગઢ ગામે થયેલ ખૂન હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સોનગઢ પોલીસ ટીમ - At This Time

સિહોર તાલુકાના સોનગઢ ગામે થયેલ ખૂન હત્યાના આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સોનગઢ પોલીસ ટીમ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌત્તમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. હર્ષદ પટેલ
સાહેબનાઓએ શરીર સબંધી ગુન્હાઓના આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ.જે અનુસંધાને શ્રી મીહીર બારીયા સાહેબ
નાયબ પોલીસ અધિક્ષકશ્રી પાલીતાણા વિભાગનાઓના તથા સર્કલ પો.ઇન્સ શ્રી જે.આર.ભાચકન સાહેબના સીધા માર્ગદર્શન
મુજબ સોનગઢ પો.સ્ટે. ના શરીર સબંધી આરોપીઓ શોધી કાઢવા સુચના આપેલ હતી. જેથી સોનગઢ પોલીસ સ્ટેશન એ પાર્ટ
ગુન્હા નં-૧૧૧૯૮૦૪૮૨૩૦૪૦૧ આઇપીસી કલમ ૩૦૨,૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબનો ગુન્હો તા-૦૩/૦૯/૨૦૨૩ ના કલાક-૧૫/૧૫
વાગ્યે બનવા પામેલ હોય અને તા-૦૪/૦૯/૨૦૨૩ ના કલાક- ૧૪/૩૦ વાગ્યે જાહેર થયેલ હોય જે ગુન્હાની તપાસ પો.સબ.ઇન્સ
ડી.વી.ડાંગર નાઓ ચલાવી રહેલ હોય જેથી પોસ્ટે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સહાયતા મેળવી તેમજ હ્યુમન
સોર્સ એક્ટીવ કરી બાતમી મેળવવા પ્રયત્નો કરતા હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળતા નીચે લખ્યા નામો વાળા આરોપીઓને
પકડી પાડી આજરોજ તા-૦૫/૦૯/૨૦૨૩ ના કલક-૧૬/૩૦ વાગ્યે ધોરણસર અટક કરવામા આવેલ છે આમ, હત્યાના ગંભીર
ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડવામા સોનગઢ પોલીસને સફળતા મળેલ છે.
અટક કરેલ ઇસમો.:-
(૧) વલ્લભભાઇ ઉર્ફ વિનોદભાઇ કેશવ ઉર્ફ કેશુભાઇ રાઠોડ ઉવ-૪૨ રહે- પાંચવડા વિસ્તાર સિહોર તા-સિહોર જી-
ભાવનગર તથા (૨) ગણેશભાઇ મોહનભાઇ ચુડાસમા ઉવ-૪૮ રહે- પાણીની ટાંકી પાસે, પચાસ વારીયા, પાલીતાણા તા-
પાલીતાણા જી-ભાવનગર વાળાને અટક કરવામા આવેલ છે
કામગીરી કરનાર ટીમ.:-
પો.સબ.ઇન્સ ડી.વી.ડાંગર સોનગઢ પોલીસ સ્ટાફના હેડ કોન્સ. જયેશભાઇ રાઠોડ તથા પો. કોન્સ. મહેશગીરી ગૌસ્વામી તથા
પો.કોન્સ. જયપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ તરુણભાઇ પ્રબતાણી તથા પો.કોન્સ શક્તિસિંહ કાઠીયા તથા ડ્રા.પો.કોન્સ
પ્રવીણભાઇ મારૂ વિ.સ્ટાફના માણસો જોડાયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.