બાલાસિનોર એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ને ભારતભૂષણ સેવા રતન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7vzewhrfbiyy1nfc/" left="-10"]

બાલાસિનોર એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ને ભારતભૂષણ સેવા રતન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું


રાષ્ટ્રીય સન્માન ભારત ભુષણ સેવા રતન એવોર્ડ થી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોરને દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યું.

દિલ્હી ખાતે યોજાયેલા ભારત ભૂષણ એવોર્ડ , રાષ્ટ્રિય સન્માન કાર્યક્રમ યોજાયો.જેમાં બાલાસિનોર એક્તા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થતી સેવાકિય પ્રવૃત્તિઓ Covind 19 ના સમયગાળામાં દિવ્યાંગોને માસ્ક બનાવવાનું કામ આપ્યું તેમજ Covind 19 કોરોના હોસ્પિટલ શરૂ કરવામાં આવ્યું,15 હાથ લારી નો વિતરણ કરવામાં આવ્યું 10 સાયકલનો વિતરણ કરવામાં આવ્યું એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ની વિવિધ સેવાકીય કાર્યને લઈને રાષ્ટ્રીય સન્માન ભારત ભુષણ સેવા રતન એવોર્ડ (National Award) થી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોરને દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યું.

અખંડ ભારતીય રાષ્ટિય સેવા દલ (શ્રીમદ્ નારાયણ ફાઉન્ડેશન) ના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણસિંહજી સિંધા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ એવોર્ડ સમારંભમા ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યો માંથી સેવાભાવી સંસ્થાઓ નું સન્માન કરવામાં આવ્યું હતુ.

ત્યારે એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના રિયાઝ શેખ દ્વારા જણાવ્યું હતું કે આ સન્માન મારું નહિ એક્તા ચેરીટેબલ ટ્રસ્ટ બાલાસિનોર પરિવાર ટીમ નું છે.
આપ સર્વ જ્ઞાતિ, સર્વ સમાજ , સર્વ ધર્મ ના લોકો નું છે,જેને અમને આ સેવાકીય પ્રવૃતિઓ મા તન, મન, થી સાથ સહકાર આપ્યો છે, તેમનું છે, આપ સૌનું છે.અને તેઓએ સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]