સંસ્કૃત ભારતીય ધંધુકા જનપદ દ્વારા સન્માન સમારોહ યોજાયો. - At This Time

સંસ્કૃત ભારતીય ધંધુકા જનપદ દ્વારા સન્માન સમારોહ યોજાયો.


સંસ્કૃત ભારતીય ધંધુકા જનપદ દ્વારા સન્માન સમારોહ યોજાયો.
સંસ્કૃત ભારતીય અમદાવાદ જીલ્લા ના ધંધુકા જનપદ દ્વારા ધોલેરા તાલુકાના ઓતારીયા ગામે આવેલી ઉત્તરબુનિયાદી સંસ્થા ખાતે સંસ્કૃત ગૌરવ પરીક્ષાના કેન્દ્ર સંયોજકો અને કેન્દ્રમાં પ્રથમ ત્રણ નંબરો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો.
આ સન્માન સમારંભ માં ધોલેરા તાલુકાના બે કેન્દ્રો ઓતારીયા તથા મીંગલપુરના કેન્દ્ર સંયોજક તથા એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી તેમજ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી સામતસંગભાઈ તથા ઉમટ, શાળાના આચાર્યશ્રી મીંગલપુર શાળાના આચાર્યશ્રી, સંસ્કૃત ભારતી સુરેન્દ્રનગર વિભાગના વિભાગ સંયોજક શ્રી ડોક્ટર ભરતભાઈ કણઝરીયા, સુરેન્દ્રનગર જનપદ સહ સંયોજક શ્રી, ધંધુકા જનપદ સંયોજક શ્રી જીતેન્દ્રભાઈ ચાવડા, ધંધુકા સંયોજક શ્રી યશપાલસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ પતંજલિ સ્ટોર

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.