જસદણ પીજીવીસીએલ તંત્ર ધોર નિંદ્રામાં - At This Time

જસદણ પીજીવીસીએલ તંત્ર ધોર નિંદ્રામાં


જસદણ પીજીવીસીએલ તંત્ર ધોર નિંદ્રામાં

જસદણ આટકોટ રોડ ઉપર જળ સર્કલ આવેલું છે આ સર્કલ પાસે જસદણ પીજીવીસીએલનો એક પોલ છે જે પોલ વર્ષોથી ઉભો છે અને આ પોલમાં બહારની કંપનીઓ અવારનવાર જાહેરાત ના બોર્ડ લગાવી જાય છે ત્યારે આ સર્કલ અકસ્માત ભર્યું સર્કલ છે આ સર્કલમાં અવારનવાર અકસ્માત સર્જાય છે ત્યારે જસદણ પીજીવીસીએલને તારીખ 27 જૂન ના રોજ આ પોલ કાઢવા બાબતે અરજી આપેલી હતી જેનો આજે છઠ્ઠો દિવસ જઈ રહ્યો છે ત્યારે જસદણ પીજીવીસીએલ તંત્ર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે જાગૃત નાગરિકોની મુખે ચર્ચાઈ રહ્યું છે કે આ સર્કલ પર અકસ્માત થશે અને જો કોઈ મોટી જાનાની થશે તો શું જસદણ પીજીવીસીએલ તંત્ર જવાબદાર રહેશે ? રાત્રિના સમયે આ જળ સર્કલમાં જે લાઈટ મૂકવામાં આવી છે તે પણ અનેક મહિનાઓથી બંધ હાલતમાં છે ત્યારે બહારગામ થી આવતા મુસાફરોને અકસ્માત નડશે ત્યારે શું જસદણ નગરપાલિકા જવાબદાર રહેશે ? જેવી અનેક ચર્ચા લોક મૂકે ચર્ચાઈ રહી છે.

Report Rasik visavaliya And Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.