બજારમાં છેલ્લી ઘડી સુધી ખરીદી, 4 દી’ રજાનો માહોલ - At This Time

બજારમાં છેલ્લી ઘડી સુધી ખરીદી, 4 દી’ રજાનો માહોલ


સૌરાષ્ટ્રભરના યાર્ડ સોમવારથી ધમધમશે, જન્માષ્ટમી તહેવાર વેપારીઓને ફળ્યો

કોરોનાના બે વર્ષ બાદ આ વખતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાંથી ફરવા જવા માટે પણ લોકોનો ધસારો સૌથી વધારે છે. બજારમાં છેલ્લી ઘડીની ખરીદી રહ્યા બાદ આજથી હવે રજાનો માહોલ શરૂ થઇ જશે જે રવિવાર સુધી ચાલુ રહેશે. જ્યારે યાર્ડમાં ગત રવિવારથી જ રજા શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રભરના યાર્ડ સોમવારથી રાબેતા મુજબ થશે. વેપારીઓના જણાવ્યાનુસાર છેલ્લા બે વર્ષ કરતા જન્માષ્ટમીની ખરીદી આ વખતે સૌથી વધારે રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.