આણંદના ઝાંખરીયા ગામના મકાનમાં આગ લાગતાં ઘર વખરી બળીને ખાખ - At This Time

આણંદના ઝાંખરીયા ગામના મકાનમાં આગ લાગતાં ઘર વખરી બળીને ખાખ


આણંદ તાલુકાના ઝાખરીયા ગામમાં આવેલા શાસ્ત્રી પોળ ભાથીજી વાળા ફળિયામાં 11મીની સવારે મહેશભાઈ દિનેશભાઈ ગોહિલના મકાનમાં એકાએક આગ ભડકી હતી. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યાં હતાં. તેઓએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આણંદ સ્ટેશન ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચનાથી આણંદ ફાયર ફાઈટર રઘુવીરસિંહ પઢીયાર, અશોકસિંહ સોલંકી વિગેરે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી આગ બુઝાવી નાંખી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.જ્યારે આ આગ અંદર શોર્ટસર્કીટથી ભભૂકી ઉઠી હોવાનું જણાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.