સંતરામપુર થી કારંટા બસ લાંબા સમય થી બંધ થઇ જતા મુસાફરોમાં નારાજગી - At This Time

સંતરામપુર થી કારંટા બસ લાંબા સમય થી બંધ થઇ જતા મુસાફરોમાં નારાજગી


સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર માહિતી મળતી મુજબ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સંતરામપુર શહેરમાં આવેલ સંતરામપુર એસ.ટી.ડેપો ખાતે થી સંતરામપુર તાલુકાની એસ.ટી.બસ સંતરામપુર થી કારંટા વ્હેલી સવારની 7,40 સમયની બસ બંધ થઈ જતા સંતરામપુર થી માંડીને ,ખાનપુર કારંટાના રહેવાસી મુસાફરો તેમજ અન્ય જગાના આવવા જતા મુસાફરોમાં સંતરામપુર થી કારંટા લાંબા સમયથી બસ બંધ થઈ જતા નારાજગી જોવા મળી હતી .તેમજ સ્થાનિક પબ્લિક અને આવતા જતા મુસાફરોમાં લોક ચર્ચાનો વિષય બનેલ હતો કે સંતરામપુર થી માંડીને કારંટા શરિફ સુઘી આવતા જતા મુસાફરો જેવાં કે મજુરી એ જનાર મુસાફરો, નોકરિયાત જગ્યાએ જનાર મુસાફરો, ટ્યુશન ક્લાસ સ્કુલ જનાર વિધાર્થીઓ મુસાફરો, દવાખાને ખાતે જનાર મુસાફરો , કારંટા શરિફ ધાર્મિક સ્થળે જનાર મુસાફરો તેમજ અન્ય કામો જનાર મુસાફરો ને લાંબા સમયથી આ બસ બંધ થઈ જતા મુસાફરોને ભારે જહેમત ઉઠાવી તકલીફ વેઠવાનો સમય આવ્યો છે.

જેથી સંતરામપુર એસ.ટી.ડેપો દ્વારા વ્હેલી તકે આયોજન કરી સંતરામપુર થી કારંટા સુધીની વ્હેલી સવારની બસ રાબેતા મુજબ અને બીજી રાતની કારંટા થી વાયા મલેકપુર માલવણ સંતરામપુર ચાલુ કરવામાં આવે તેવી આવતા જતા મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.