ગાંધીનગર ના સાદરા ની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ઉજવવામાં આવી - At This Time

ગાંધીનગર ના સાદરા ની ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ઉજવવામાં આવી


ગાંધીનગર ના સાદરા ગામમાં ગાંધીજી ની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા રેલી યોજવામાં આવી હતી જેમાં સાદરા ગામની શેરીઓમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા બાપુના સ્મરણોને યાદ કરી જય હિન્દ,ભારત માતાકી જય ના નારા સાથે બાપુ ના ભજન સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં સાદરા ગામના સરપંચ, તલાટી ક્રમ મંત્રી, ગ્રામ પંચાયત સદસ્ય તેમજ સાદરા ગુજરાત વિદ્યાપીઠ ના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ સાદરા ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી મહેશભાઈ રાવલ ના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા નું આયોજન થયું હતું એ મુજબ જેમા સરકાર ના પરીપત્ર મુજબ ના મુદ્દાઓ પર ચર્ચા કરીને ગામ ના સર્વાગી વિકાસ માટે તૈયારી કરવામાં આવી આ ગામ ના સર્વાગી વિકાસ ને આવરી લેતાં મુદ્દા ઓ ચર્ચા કરીને બહાલી આપવામાં આવી હતી. આ ગ્રામ સભા ના સચિવ તરીકે સાદરા તલાટી કમ મંત્રી કિરણભાઇ પરમાર એ કામગીરી કરી હતી. , , રીપોર્ટર મહેશસિંહ રાઠોડ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.