ધંધુકા મામલતદાર કચેરી ખાતે પી.આઈ. સાહેબની અધ્યક્ષતામા ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદનની સમીક્ષા અંગે મિટિંગ યોજાઈ. - At This Time

ધંધુકા મામલતદાર કચેરી ખાતે પી.આઈ. સાહેબની અધ્યક્ષતામા ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદનની સમીક્ષા અંગે મિટિંગ યોજાઈ.


ધંધુકા મામલતદાર કચેરી ખાતે પી.આઈ. સાહેબની અધ્યક્ષતામા ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદનની
સમીક્ષા અંગે મિટિંગ યોજાઈ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને લઈને ધંધુકા મામલતદાર કચેરી ખાતે પી. આઈ. શ્રી એમ વી ચૌધરી સાહેબ દ્વારા મામલતદાર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા અમદાવાદ જીલ્લા ગ્રામ્ય ના એસ પી અમિત વસાવા સાહેબ તેમજ
ગ્રામ્ય ડી વાય એસ પી પ્રકાશ પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ જીલ્લા ગ્રામ્ય ના એસ પી અમિત વસાવા સાહેબ દ્વારા દરેક ધર્મની પોતાની માન્યતાઓ અને રિવાજો હોય છે તે રીતે ધંધુકા તાલુકામાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને લઈને તહેવારમાં સુલેહશાંતિ અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી તેમજ કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભાજપ -કોંગ્રેસના કાર્યકરો, હિંદુ સમાજ ના લોકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસલીમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.