રાજકોટ પૂ.રણછોડદાસજીબાપુ શોપીંગ સેન્ટરની ૧૬ દુકાનોની જાહેર હરરાજી કરવામાં આવશે. - At This Time

રાજકોટ પૂ.રણછોડદાસજીબાપુ શોપીંગ સેન્ટરની ૧૬ દુકાનોની જાહેર હરરાજી કરવામાં આવશે.


રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૧૪માં આનંદનગર પાસે આવેલ પૂ.રણછોડદાસજીબાપુ શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી નીચેની વિગતે રાખેલ છે. હરરાજીનું સ્થળ દુકાનોની સંખ્યા હરરાજીની તારીખ અને સમય પૂ.રણછોડદાસજી બાપુ કોમ્યુ.હોલ, આનંદનગર પાસે, તા.૭/૯/૨૦૨૨, બુધવાર સવારે ૯ કલાકે શ્રી.રણછોડદાસજીબાપુ કોમ્યુ. હોલ આનંદનગર રાજકોટ. આ દુકાનો ૧૬.૧૮ ચો.મી. થી ૧૬.૫૪ ચો.મી. સુધીની સાઈઝની દુકાનો છે. દુકાનોની અપસેટ કીંમત રૂ.૨૭.૪૦ લાખથી રૂ.૨૭.૮૦ લાખ સુધીની છે. આ જાહેર હરરાજીની વિગતો નીચે મુજબ છે. હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂ.૨,૦૦,૦૦૦ અંકે રૂપિયા બે લાખ પુરા “રાજકોટ મહાનગરપાલિકા” ના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફ્ટથી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઈસમ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઈટ (www.rmc.gov.in) પરથી અથવા એસ્ટેટ વિભાગ. રૂમનં.૧૦, ત્રીજો માળ ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ (ફોન.૦૨૮૧-૨૨૨૨૫૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.