ઘંટેશ્વર નજીક બાઇક અકસ્માતમાં નિવૃત્ત એસઆરપી જમાદારનું મોત - At This Time

ઘંટેશ્વર નજીક બાઇક અકસ્માતમાં નિવૃત્ત એસઆરપી જમાદારનું મોત


ઘંટેશ્વર નજીક એસઆરપી કોલોની પાસે નિવૃત્ત એસઆરપી જમાદાર બાઈક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ તથા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું આજ રોજ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.
બનાવની વિગતો અનુસાર એસઆરપી કેમ્પમાં રહેતા દિલીપભાઈ અમૃતભાઈ પંડ્યા નામના 60 વર્ષીય વૃદ્ધ ગઈકાલ રાત્રીના ઘંટેશ્વર નજીક પોતાના બાઈક પર ગયા હતા બાદ ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે એસઆરપી કેમ નજીક તેનું બાઈક સ્લીપ થતા તેને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું આજરોજ ટૂંકી સાર્વ દરમિયાન મોત નિપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.