બોટાદની શ્રી કષ્ટભંજન વિદ્યામંદિરમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોટાદની શ્રી કષ્ટભંજન વિદ્યામંદિરમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું


બોટાદની શ્રી કષ્ટભંજન વિદ્યામંદિરમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું

શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ(બોટાદ)માં જુ.કે.જી થી ધોરણ 10 સુધીના તમામ બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્યપ્રદ લાઈવ ભેળ,સેન્ડવીચ,સમોસા,બટાકા,ભુંગળા,પાણીપુરી,દાબેલી,સમોસા,મેંગો અને જીરા મસાલા જેવી સોડા વગેરે વાનગીઓનો સમાવેશ કરાયો હતો.બાળકોએ પોતાના મનપસંદ સ્ટોલ પર ઉત્સાહપૂર્વક વાનગીની ખરીદી કરી હતી અને જુદી જુદી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.આયોજન થકી બાળકોમાં ખરીદ-વેચાણ,પસંદ નાપસંદ સામૂહિક ભોજન થકી સામાજિક્તામિતી જેવા ગુણોનો વિકાસ થાય છે.આ તકે શાળાનાં પ્રમુખ વિનોદભાઈ કાલસરિયા,મંત્રી વિજયભાઈ ઘાઘરેટિયા,આચાર્ય અરવિંદભાઈ બાવળીયા,ઈન્ચાર્જ વિપુલકુમાર ડેરવાળિયા તેમજ સમગ્ર શૈક્ષિણક સ્ટાફના સુચારૂ આયોજન વડે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર એલ ડી જોગરાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.