રાજકોટમાં 14 વર્ષ પહેલાં હત્યા કરીને ફરાર થયો હતો; આગ્રામાં નામ બદલીને રહેતો હતો - At This Time

રાજકોટમાં 14 વર્ષ પહેલાં હત્યા કરીને ફરાર થયો હતો; આગ્રામાં નામ બદલીને રહેતો હતો


જામનગર જિલ્લાના કાલાવડના આણંદપર ગામે જમીનની તકરારમાં ચનાભાઈ જસેડીયા નામના વ્યક્તિનું અપહરણ કરી હત્યા કરવાના 2009ના ચર્ચાસ્પદ ગુનામાં વોન્ટેડ આરોપી ગજેન્દ્રસિંહ ઉર્ફે સોનું શંકરસિંહ ઠાકુર આગ્રામાં રહેતો હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB પીઆઇ વી.વી. ઓડેદરા તથા પીએસઆઇ આર.કે. ગોહિલની ટીમે રિક્ષા ચાલક બની આરોપી ગજેન્દ્રસિંહની સતત બે દિવસ સુધી રેકી કરી અંતે આગ્રાના તાજનગર પાસે આવેલા આશ્રમ પાસેથી દબોચી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.