મેંદરડા રાધાબા મુડીયા સંન્યાસ આશ્રમ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમનું આયોજન કરવામાં આવેલ હતું - At This Time

મેંદરડા રાધાબા મુડીયા સંન્યાસ આશ્રમ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમનું આયોજન કરવામાં આવેલ હતું


મેંદરડા રાધાબા મુંડીયા સંન્યાસ આશ્રમ ખાતે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
મેંદરડા રાધાબા મુંડિયા સંન્યાસ આશ્રમ ખાતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં ભારતના ક્રાંતિકારી સંત વિભૂતિ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ પ્રેરિત જય અંબે હોસ્પિટલ ચાપરડા ના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપેલી જેમાં દર્દીઓને તમામ પ્રકારના રોગોનું નિદાન મફત દવા વગેરે જેવી સેવાઓ આપવામાં આવેલી હતી આ કેમ્પમાં આશરે ૧૮૨ દર્દીઓએ લાભ લીધેલો આ કાર્યક્રમનુ ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર તાલુકા પંચાયત કારોબારી સમિતિ ના ચેરમેન અને તાલુકા ભાજપના પ્રમુખ વિજય પાનસુરીયા તાલુકા ભાજપના મહામંત્રી દિલીપ સોંદરવા વગેરે દ્વારા કેમ્પ ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું આ કેમ્પ ને સફળ બનાવવા જય અંબે હોસ્પિટલ ચાપરડા ના રાહુલ વીકમાં તેમજ મેંદરડા સામાજિક આગેવાન દીપક બલદાણીયા દ્વારા આયોજન કરવામાં આવેલ આ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને બપોરનું ભોજન પણ પીરસવામાં આવેલું હતું આ સેવાકી યજ્ઞમાં રાધાબા આશ્રમ સેવકગણ પરિવાર ખાસ સેવા બજાવેલી આને બહોળી સંખ્યામાં લોકો એ આ કેમ્પ નો લાભ લીધો હતો
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.