નાગેશ્વરમાં રહેતા યુવકને માતાએ મુંબઈ જવાની ના પાડી તો આપઘાતનો પ્રયાસ કર્યો, હાલ સારવાર હેઠળ - At This Time

નાગેશ્વરમાં રહેતા યુવકને માતાએ મુંબઈ જવાની ના પાડી તો આપઘાતનો પ્રયાસ કર્યો, હાલ સારવાર હેઠળ


શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતો પાર્થ મનીષભાઈ જોષી નામનો 24 વર્ષીય યુવક ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી જેમાં પાર્થ જોષીની માતા જ્યોતિબેન જોષીએ પોતાના એકના એક પુત્રને મુંબઈ જવાની ના કહેતા યુવકને માઠું લાગી જતા પંખા સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાધો હતો. યુવકની માતા પુત્રને જમવા માટે બોલાવવા ગયા ત્યારે આવો કરુણ નજારો જોયા બાદ આઘાતથી સ્તબ્ધ થઈ ચુક્યા હતા. બાદમાં પરિવારને જાણ કરી યુવકને તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક પ્લાસ્ટિક વસ્તુઓની રિટેલ શોપમાં કામ કરતો અને એના માતા-પિતાનો એકનો એક સંતાન છે. યુવકના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.