શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર:" પંચ દિનાત્મક ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર:” પંચ દિનાત્મક ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું


શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા વિરચિત દેવભાષા - સંસ્કૃતમાં "શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર:" પંચ દિનાત્મક ચાતુર્માસ કથા - સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં અનેકવિધ દિવ્ય ચરિત્રોનું રસપાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની આજ્ઞાથી સંતશિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું. પંચમહાલના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, શ્રી ધર્મતનયદાસજી સ્વામી, શ્રી ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, શ્રી જ્ઞાનસાગરદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં આ ચાતુર્માસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ કથાનુ રસપાન કર્યું હતું. ત્યારબાદ સૌએ મહાપ્રસાદ લીધો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.