દીકરી જન્મથી લઈ વિધવા સહાય સુધી યોજનાઓ અંગે ચર્ચા કરાઈ - At This Time

દીકરી જન્મથી લઈ વિધવા સહાય સુધી યોજનાઓ અંગે ચર્ચા કરાઈ


હિંમતનગરમાં નારીશક્તિ મહિલા સંમેલન યોજાયું, સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરાયા. લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં શુક્રવારે શહેર- તાલુકા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ મહિલા સંમેલનનું આયોજન કરાયું હતુ. આ સંમેલનમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડો.દીપિકાબેન સરડવાએ જણાવ્યુ હતુ કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ બહેનોની સુરક્ષા તેમજ પગભર બની સ્વમાનથી જીવી શકે તેના માટે અનેક પગલાં ભર્યા છે. લવજેહાદ માટે કાયદો- ત્રીપલ તલાકનો કાયદો લાવી બહેનોની રક્ષા કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.