રાપર ની સેવાભાવી સંસ્થા વસુંધરા દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ્પનુ આયોજન કરાયુ - At This Time

રાપર ની સેવાભાવી સંસ્થા વસુંધરા દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ્પનુ આયોજન કરાયુ


રાપર ખાતે સેવાભાવી સંસ્થા એવી વસુંધરા દ્વારા APMC બજાર સમિતિ રાપર માં ચોથો આયુર્વેદિક અને હોમિયોપેથીક કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું કેમ્પ નું શુભારંભ દીપ પ્રાગટ્ય થી કરવા માં આવ્યું જેમાં APMC માર્કેટ ના વેપારી એસોસિયશન ના શૈલેશભાઇ શાહ, તુસાલ ખંડોલ, ભાણજીભાઈ પટેલ, રતિલાલ સોની વગેરે હોદેદારો અને બજાર સમિતિ ના સેકેટરી શંકરલાલ ઠક્કર તથા સ્ટાફગણ જોડાયા.
આ કેમ્પ માં ડો. શૈલેશભાઈ ડોડીયા અને ડો. મોહિનીબેન હળપતિ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિઓ ને સારવાર અને દવા આપવા માં આવી.
વ્યવસ્થા માં વસુંધરા ના જયદેવભાઈ મારાજ, રમેશભાઈ સાધુ, અશોકભાઈ ચૌહાણ, અવિનાશભાઈ પ્રજાપતિ, મોતીભાઈ દેસાઈ, ઋષભભાઈ ચરલા,આનંદભાઈ કાપડી, બકુલભાઈ મારાજ, રવીન્દ્રભાઇ ચાવડા વગેરે કાર્યકર્તા ઓ જોડાયા હતાં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.