ડૉ.આંબેડકર ગ્રાઉન્ડ,એસટી સ્ટેન્ડ પાસે,રાણીપ ખાતે નવા વાડજ અમદાવાદ અખબાર નગર સર્કલ ખાતે આવેલી મનોદિવ્યાગ બાળકો માટેની - At This Time

ડૉ.આંબેડકર ગ્રાઉન્ડ,એસટી સ્ટેન્ડ પાસે,રાણીપ ખાતે નવા વાડજ અમદાવાદ અખબાર નગર સર્કલ ખાતે આવેલી મનોદિવ્યાગ બાળકો માટેની


ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.12-1-2024 શુક્રવારે સવારે 9-30 વાગે ડૉ.આંબેડકર ગ્રાઉન્ડ,એસટી સ્ટેન્ડ પાસે,રાણીપ ખાતે નવા વાડજ અમદાવાદ અખબાર નગર સર્કલ ખાતે આવેલી મનોદિવ્યાગ બાળકો માટેની સતત કાયૅરત સ્મિત ચાઈલ્ડ એજયુકેશન ટ્રસ્ટ સંસ્થા દ્વારા મનોદિવ્યાગ બાળકો ભારતીય સંસ્કારોથી અવગત થાય તે માટે સંચાલક ચંદ્રસિંહ ચૌહાણના પ્રયત્નોથી ઉતરાયણ મહાપર્વની પ્રેરક ઉજવણી દ્વારા મનોદિવ્યાગ બાળકોમાં ગમ્મત સાથે મનોવૈજ્ઞાનિક જ્ઞાન વિકાસ હેતુથી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે જેમાં સોપાન સ્પેશિયલ સ્કૂલના મનોદિવ્યાગ બાળકો પણ ગીત સંગીત સાથે પતંગ ચગાવશે તે સૌ બાળકોને પતંગ,ફિરકી,ચશ્મા,પિપુડા, તલ,સીગ,માવાની મિક્ષ ચિકી,મમરા,રાજગરાના લાડુ,ફેસમાસની કિટ આપવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનાં અંતે સ્વાદિષ્ટ ભોજનમાં ઊંધીયુ,જલેબી, પુરી,પાપડ,મીક્ષ ભજીયાનુ લંચ કરાવવામાં આવશે સમગ્ર કાર્યક્રમનો સહયોગ દાતાશ્રીઓ લલીતાબેન હસમુખભાઈ પટેલ,ગાયત્રી પરિવાર નારણપુરા,શિક્ષાપત્રી ફાઉન્ડેશન ગાંધીનગર, લાયસન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, કનુભાઈ પરીખ SBI,હિમાબેનદવેતેમજ અનન્યો દ્વારા કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.