રાજકોટમાં બાગેશ્વરધામ કાર્યાલય ઉદ્ઘાટનમાં કોંગી નેતા વસાવડા જોડાયા, તો મહેશ રાજપૂતે બાબાને બીજેપી બાબા ગણાવ્યા - At This Time

રાજકોટમાં બાગેશ્વરધામ કાર્યાલય ઉદ્ઘાટનમાં કોંગી નેતા વસાવડા જોડાયા, તો મહેશ રાજપૂતે બાબાને બીજેપી બાબા ગણાવ્યા


રાજકોટમાં આગામી 1 અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે બાગેશ્વરધામ સમિતિ દ્વારા રાજકોટ કાર્યાલયનું ગઈકાલે રાત્રિના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ તેમજ અલગ અલગ સમાજના શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા હતા. જો કે, તેમાં પણ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પોતાના સોશિયલ મીડિયામાં બે પોસ્ટર શેર કરી ધીરેન્દ્ર શાસ્ત્રીને બીજેપી બાબા સાથે સરખાવતાં વિવાદ સર્જાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.