પ્રાંતિજ ખાતે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંવાદ યોજાયો - At This Time

પ્રાંતિજ ખાતે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંવાદ યોજાયો


પ્રાંતિજ ખાતે મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંવાદ યોજાયો
ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના ઉકેલ માટે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ
મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમાર
અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્રારા આયોજીત પર્યાવરણ સંવાદ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં પ્રાંતિજના વદરાડ ઉમિયા વાડી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણની અનુકૂળ જીવનશૈલી અપનાવવાના અભિગમને ચરિતાર્થ કરવા સાથે જ પર્યાવરણ, સ્વચ્છતા, જળસંચય અને જળસંરક્ષણ માટે સંવેદનશીલ ભારતના નિર્માણ અનિવાર્ય છે.પર્યાવરણનું રક્ષણ કરવા જાગૃતિ ફેલાવા, પ્લાસ્ટીક પ્રદૂષણ અટકાવવા માટે શાકભાજી લેવા જતા કાપડની થેલીનો જ ઉપયોગ કરવો જોઇએ. વૃક્ષોનુ વાવેતર કરી તેનુ જતન કરવુ ખુબ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો ઉકેલ માટે વૃક્ષો વાવી તેનુ જતન કરવું જોઇએ. પર્યાવરણના જતન માટે વૃક્ષોની સાથે ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે પાણીના એક એક ટીપાનો બચાવ કરવા માટે વરસાદી પાણીને એકઠુ કરવુ અને જળ સંચય થકી આવનારા સમયમાં પાણીની સમસ્યા હલ કરવા પ્રયત્ન કરવો જોઇએ. વડાપ્રધાનશ્રી દ્રારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન, જળ સંચય અને જળ સંરક્ષણ અભિયાનમાં જોડાવા માટે અપિલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ શ્રી મહેશ સિંઘે જણાવ્યું હતું કે, આજ થી ૨૫-૩૦ વર્ષ પહેલા ગુજરાતમાં પાણીની સમસ્યા હતી. જે આજે નર્મદાના નીર છેક છેવાડાના કચ્છ બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આવવાથી પાણીની સમસ્યા દૂર થઈ છે. આજે પર્યાવરણનુ જતન કરવા માટે સરકાર દ્રારા અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે જેને સફળતા મળી રહી છે. પર્યાવરણના બચાવ માટે અને પ્રદૂષણ મુક્ત ભારત માટે કપડાની બેગનો જ વપરાશ કરવા અને પ્રકૃતિની નજીક રહી પર્યાવરણની જાળવણી કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્ર્મમાં જાણીતા ટી.વી. કલાકાર શ્રી મયુર વાકાણી( સુંદર મામા)એ પોતાની આગવી અને હાસ્યથી ભરપુર શૈલીમાં પર્યાવરણના જતનનો સંદેશ અને પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું. કલાકારશ્રી કમલ નાયક દ્રારા પર્યાવરણને અનુરૂપ લોકગીત-ડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હસ્તાક્ષર ઝુંબેશના ભાગ રૂપે હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતીની માહિતી માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. પર્યાવરણની જાગૃતિ માટે કાર્યરત સંસ્થા એક્શન ગૃપના શ્રી ગણેશભાઇ, શ્રી શૈલેષભાઇ પટેલ અને તેમની ટીમ દ્રારા સમગ્ર કાર્યક્ર્મને સફળ બનાવવા મહેનત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબા, તાલુકા- જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,અગ્રણીઓ, મિત્તલબેન પટેલ મોટી સંખ્યામાં વિધાર્થીઓ, ખેડૂત ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.