FSLમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે ગુજરાતના જ નહિ, અન્ય રાજ્યો અને સેન્ટ્રલ એજન્સીઓમાંથી પણ અનેક કેસ આવે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/47txwpocg7fidrmq/" left="-10"]

FSLમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે ગુજરાતના જ નહિ, અન્ય રાજ્યો અને સેન્ટ્રલ એજન્સીઓમાંથી પણ અનેક કેસ આવે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*


*FSLમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ માટે ગુજરાતના જ નહિ, અન્ય રાજ્યો અને સેન્ટ્રલ એજન્સીઓમાંથી પણ અનેક કેસ આવે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*

*આરોપીઓના મગજમાં સંગ્રહિત થયેલી ઘટના કે સ્મૃતિઓ રિકોલ કરી ગુનાની ક્રોનોલોજી તથા ગુનેગારો સુધી પહોંચવા બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ ટેસ્ટ કરવામાં આવે છે*
...
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ પદ્ધતિથી ગુનાઓના થતાં પૃથક્કરણ સંદર્ભે વિધાનસભા ગ્રુહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેકનોલોજી આધારિત સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત કાર્યરત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માત્ર ગુજરાત માટે જ નહિ, સમગ્ર દેશ માટે ગૌરવ અપાવતી સંસ્થા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી વૈજ્ઞાનિક ઢબે ગુનાઓ ઉકેલવા તથા ગુનેગારો વિરૂદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરી મજબૂત ચાર્જશીટ સાથે ગુનેગારોને કડક સજા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે, જ્યાં માત્ર ગુજરાતના જ નહિ, હરિયાણા, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાંથી પરીક્ષણ માટે કેસો આવે છે. એટલું જ નહિ, CBI, ED, IT સહિત અનેક સેન્ટ્રલ એજન્સીઓને પણ એફએસએલ મદદરૂપ થઈ રહી છે.

મંત્રીશ્રીએ બ્રેઈન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ સંદર્ભે કહ્યું કે, આ ટેસ્ટ નોન ઇન્જેકટેબલ અને થર્ડ ડિગ્રીરહિત ટેસ્ટ છે. જેના થકી આરોપીઓના મગજમાં સંગ્રહિત થયેલી ઘટના કે સ્મૃતિઓ રિકોલ કરી ગુનાની ક્રોનોલોજી તથા ગુનેગારો સુધી પહોંચવામાં આવે છે. તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૧૪ કેસના ૩૮ નામુનાઓનું આ ટેસ્ટ આધારિત પૃથક્કરણ કરવામાં આવ્યું છે.
....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]