3 વર્ષના ભાડા કરાર પૂરા થઇ ગયા બાદ ભાડૂઆતે દુકાન પચાવી પાડી - At This Time

3 વર્ષના ભાડા કરાર પૂરા થઇ ગયા બાદ ભાડૂઆતે દુકાન પચાવી પાડી


બેડીનાકા મેઇન રોડ પરની દુકાન પચાવી પાડનાર સામે ફરિયાદ

2018 પછીનું ચડત રૂ.1.92 લાખનું ભાડું પણ ચૂકવ્યું નથી

કલેક્ટરના આદેશ બાદ વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બેડીનાકા મેઇન રોડ, હાટકેશ્વર મંદિર પાસે રહેતા કલ્પેશભાઇ શરદચંદ્ર મહેતાએ ખડકીનાકા ચોક પાસે રહેતા રાજેશ નારણ વીરમિયા સામે નોંધાવી છે. વેપારી યુવાનની ફરિયાદ મુજબ, તે જ્યાં રહે છે તે બે માળનું બિલ્ડિંગ છે. જે અગાઉ દાદીના નામે હતું. તેમના મૃત્યુ બાદ પિતાના નામે અને પિતાના અવસાન બાદ વારસાઇ મિલકતના માલિક પોતે છે. આ મિલકતમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બે શટરવાળી દુકાન આવેલી હોય 2015માં રાજેશ વીરમિયાને ત્રણ વર્ષના ભાડા કરારથી રૂ.4 હજારના ભાડે દુકાન આપી હતી. જે દુકાનમાં રાજેશ વીરમિયા આશાપુરા ડેરી એન્ડ ફરસાણના નામથી વેપાર કરતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.