આણંદ જિલ્લાના વ્યવસાયિકો માટે સુરત ખાતે એક દિવસીય માહિતી-પ્રવાસ યોજાયો - At This Time

આણંદ જિલ્લાના વ્યવસાયિકો માટે સુરત ખાતે એક દિવસીય માહિતી-પ્રવાસ યોજાયો


આણંદ જિલ્લાના વ્યવસાયિકો માટે સુરત ખાતે એક દિવસીય માહિતી-પ્રવાસ યોજાયો ,ઝીંગા ઉછેરની વિવિધ પધ્ધતિઓ અંગે ટેક્નિકલ સમજ આપવામાં આવી.
આણંદ જિલ્લા આત્મા કચેરી દ્વારા આણંદ તથા સુરત જિલ્લાની મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરીના સહકારથી આણંદ જિલ્લાના નવાગામ બારા ખાતે ઝીંગા ઉછેર માટે ફાળવવામાં આવેલ જમીનના અરજદારોને ઝીંગા ઉછેર માટેની જાણકારી મળી રહે તે હેતુથી એક દિવસીય પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પ્રવાસ દરમિયાન ગૃપ ફોર્મેશન દ્વારા ઝીંગા ઉછેર માટે ફાળવેલ જમીનના અરજદારો પૈકી પાંચ અરજદારોને સુરત અને ઓલપાડ ખાતે એક દિવસના પ્રવાસે લઈ જઈ ત્યાં તેઓને ઝીંગા ઉછેર માટે જરૂરી માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ પ્રવાસ દરમિયાન સુરત ખાતે પ્રાઇવેટ ઉદ્યોગ સાહસિકો દ્વારા ચલાવવામા આવતા મત્સ્ય બીજ ઉત્પાદન કેન્દ્ર અને ચાઇનીઝ હેચરીની તથા ઓલપાડ ખાતે આવેલા ઝીંગા ઉછેરના વિવિધ ફાર્મ અને પ્રોસેસિંગ હાઉસની મુલાકાત લઈ લાભાર્થીઓને જરૂરી માહિતી – માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.