લોકસભા ચુંટણી પૂર્વે સમસ્ત મહાજન દ્વારા "અહીંસા યાત્રા" લોકસભા ના ઉમેદવારો ને રજૂઆત કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1bho6y3wzukmvyxl/" left="-10"]

લોકસભા ચુંટણી પૂર્વે સમસ્ત મહાજન દ્વારા “અહીંસા યાત્રા” લોકસભા ના ઉમેદવારો ને રજૂઆત કરાઈ


લોકસભા ચુંટણી પૂર્વે સમસ્ત મહાજન દ્વારા "અહીંસા યાત્રા" લોકસભા ના ઉમેદવારો ને રજૂઆત કરાઈ

બનાસકાંઠાના લોકસભા વિસ્તારનાં ઉમેદવાર રેખાબેન ચૌધરી, વિરોધપક્ષનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર તથા મહેસાણા લોકસભા વિસ્તારનાં ઉમેદવાર હરીભાઈ પટેલ પાસેથી લોકો જળ, જંગલ, જાનવર અને પર્યાવરણની સુરક્ષાના વચન માંગ્યા

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહનાં નેતૃત્વમાં અહિંસા યાત્રાનું આયોજન કરાયું છે.
સમગ્ર વિશ્વ હિંસા મુકત થાય તે માટે બનાસકાંઠાના લોકસભા વિસ્તારનાં ઉમેદવાર રેખાબેન ચૌધરી, વિરોધપક્ષનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર તથા મહેસાણા લોકસભા વિસ્તારનાં ઉમેદવાર હરીભાઈ પટેલને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશભાઈ શાહએ રૂબરૂ મળીને આઠ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો પાસે લોકોને અબોલ પશુ, પક્ષી , જળ ,જંગલ અને સમગ્ર પર્યાવરણની સુરક્ષા માટે માગણી કરવા અને આ માટે વચન માગવા સમસ્ત મહાજન દ્વારા અહીંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુળ ઉદેશય સરકાર પાસેથી મુખ્યત્વે ૮ મુદ્દાઓની માંગણી જેમા ભારતમાંથી જીવતા પશુ—પક્ષી તથા માસની નિકાસ બંધ કરવી, કુદરતી કૃષિને પ્રાધાન્ય આપવું, ભારતના ગામડાઓમાં નદી, નાળા, તળાવને શુધ્ધીકરણ કરવું, દેશી વૃક્ષોનું વાવેતર કરવું, માછીમારીને પ્રોત્સાહન ન આપવું, ભારતની બધી જ ગૌશાળાઓ–પાંજરાપોળોને પ્રતિદિન રૂા. ૧૦૦ સબસીડી આપવી, ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવો તથા ભારતનાં સાડા છ લાખ ગામડાઓમાં આવેલ ગૌચરનો વિકાસ કરવો. ઉપરોકત તમામ મુદ્દાને અનુલક્ષીની આ અહિંસા યાત્રા શરૂ કરાઈ છે જયારે લોકસભાના ઉમેદવાર પોતપોતના મતક્ષેત્રમાં મત માંગવા આવે ત્યારે ભારતની સમગ્ર પ્રજાએ ઉપરોકત પ્રશ્નોની ડીમાન્ડ કરવી અને તેની પાસેથી વચન લેવું, આ અપેક્ષા ભારતના ૧૪૦ કરોડ લોકોને સમગ્ર દેશમાં લોકસભાના ઉમેદવારો પાસેથી વચન લેવા અપીલ કરવામાં આવશે.સમસ્ત આયોજન અંગે સમસ્ત મહાજનને અર્હમ યુવા સેવા ગ્રુપ, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઈન(રાજકોટ), ગૌશાળા – પાંજરાપોળો વગેરે સંસ્થાઓનો સહયોગ મળશે. અહીંસા યાત્રાની વિશેષ વિગતો માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976) અને મિત્તલ ખેતાણી (મો. 98242 21999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]