તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાનનું અપહરણ કરી લૂંટ ચલાવી અને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા શેળાવદર ગામના જીવરાજભાઈ મથુરભા - At This Time

તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાનનું અપહરણ કરી લૂંટ ચલાવી અને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા શેળાવદર ગામના જીવરાજભાઈ મથુરભા


તળાજા તાલુકાના શેળાવદર ગામના યુવાનનું અપહરણ કરી લૂંટ ચલાવી અને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથક નીચે આવતા શેળાવદર ગામના જીવરાજભાઈ મથુરભાઈ જાદવ ઉંમર વર્ષ 23 ગત તારીખ 24 ના રોજ સુરત થી તળાજા ખાતેની મહુવા ચોકડી પર આવેલ સોમનાથ હોટલ પાસે સવારના સમયે ઉભા હતા એ સમયે પરિવારના જ અને શેળાવદર ગામે રહેતા વિપુલ ઝવેરભાઈ જાદવ રાજુ બાબુભાઈ જાદવ પરેશ ત્રિકમભાઈ જાદવ વિનોદ નકાભાઈ જાદવ સહિતનાઓ બાઈક ઉપર આવ્યા હતા અને બળજબરી પૂર્વક યુવાનને બાઈક પર બેસાડી અલગ અલગ સ્થળે લઈ જઈ અને માર માર્યો હતો સાથે ખિસ્સામાં રહેલા રૂપિયા 5000 રૂપિયા મોબાઈલ અને સોનાના ચેનની લૂંટ કરી હોવાના પણ ફરિયાદમાં આરોપો લગાવવામાં આવ્યા છે બનાવના કારણમાં પારિવારિક ઝઘડો હોવાનું જણાવ્યું હતું આ પ્રકારના બનાવની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા બનાવનું સાચું કારણ શું છે એ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે નોંધનીય છેકે આ બનાવમાં મામલો સમાધાન ઉપર ગયો હતો પરંતુ સમાધાન નહીં થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.