બાલાસિનોર વિદ્યામંડળ નવા વરાયેલા પ્રમુખ માનનીય મણીકાંતભાઈ કડકિયાનો સત્કાર સમારંભ કોલેજમાં યોજવામાં આવ્યો - At This Time

બાલાસિનોર વિદ્યામંડળ નવા વરાયેલા પ્રમુખ માનનીય મણીકાંતભાઈ કડકિયાનો સત્કાર સમારંભ કોલેજમાં યોજવામાં આવ્યો


દરેક વિદ્યાર્થીઓને ફી રાહત ચોપડા ની રાહત અને તેમજ બુકની રાહત વિદ્યામંડળ દ્વારા આપવામાં આવે છે

0 93 વર્ષની ઉંમરે પણ સતત સેવાકીય પ્રવૃતિમાં વ્યસ્ત રહેતા એવા મણીકાંતભાઈ કળકિયા
બાલાસિનોર વિદ્યા મંડળ વર્ષોથી વિદ્યાના ધામ તરીકે ઓળખાય છે નિસ્વાર્થ સેવા આ મંડળ તરફથી કરવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓને ફી રાહત ચોપડા ની રાહત અને તેમજ બુકની રાહત વિદ્યામંડળ દ્વારા આપવામાં આવે છે
આ વિદ્યામંદિરના નવા વરાયેલા પ્રમુખ માનનીય મણીકાંતભાઈ કડકિયા સાહેબનો સત્કાર સમારંભ કોલેજમાં યોજવામાં આવ્યો સમગ્ર કોલેજ પરિવાર ખૂબ જ ઉત્સાહથી તેમને આવકાર્યા પ્રારંભમાં આચાર્યશ્રી દિનેશભાઈ માછી સ્વાગત પ્રવચન કર્યો દરેક વિભાગના હેડે શાબ્દિક સ્વાગત કર્યું તેમજ વિદ્યાર્થી દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું
93 વર્ષની ઉંમરે પણ સતત સેવાકીય પ્રવૃતિમાં વ્યસ્ત રહેતા એવા મણીકાંતભાઈ કળકિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા વિદ્યામંડળમાં સતત દેખભાળ રાખતા કુવરજીભાઈ ભરવાડ એ પણ નવા વરાયેલા પ્રમુખ સાહેબ એવા મણિકાનભાઈ નું પણ તેમને ઉષ્મા સભર સ્વાગત કર્યું અંતમાં પ્રોફેસર યુએસ ચંદેલ સાહેબે આભાર દર્શન કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.