મનપા દ્વારા આતશબાજીનું આયોજન, સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી સર્જાશે - At This Time

મનપા દ્વારા આતશબાજીનું આયોજન, સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન, આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી સર્જાશે


મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે શનિવારે ધનતેરસના દિવસે લોકોને ખૂબ ઓછા ખર્ચમાં મજા કરાવતી આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આતશબાજીમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે.

ચાલુ વર્ષ તા.22ના શનિવાર ધનતેરસના શુભ દિવસે સાંજે 7 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનુ આયોજન કરવામાં આવે છે. જેનું ઉદઘાટન સંસદ સભ્ય તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે થશે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાજ્યના વાહન વ્યવહાર, યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, અધ્યક્ષ સ્થાને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.