આમ આદમી પાર્ટી નું ચોટીલા વિધાનસભા કાર્યાલય ખુલ્લું મુકાયું - At This Time

આમ આદમી પાર્ટી નું ચોટીલા વિધાનસભા કાર્યાલય ખુલ્લું મુકાયું


*ચોટીલા ખાતે આમ આદમી પાર્ટીએ કાર્યાલય ઓપનીગ કર્યું*

*પંજાબ સરકાર નાં કેબિનેટ મંત્રી અનમોલ ગગનમાનજી નાં હસ્તે ખુલ્લું મુકાયું*

આજે ચોટીલા ખાતે ચોટીલા વિધાનસભા કાર્યાલય નું ઓપનીગ કરવામાં આવ્યું હતું તેમાં પંજાબ સરકાર નાં કેબિનેટ મંત્રી શ્રીમતી અનમોલ ગગનમાનજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં જેમ જેમ ચુંટણી નજીક આવતી જાય છે તેમ પ્રચાર પ્રસાર અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા ચોટીલા ખાતે રોડ શો કરી પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉમેદવાર રાજુભાઈ કરપડા નાં પ્રચાર માટે પંજાબ સરકાર નાં કેબિનેટ મંત્રી એ હાજરી આપી હતી અને કાર્યાલય ખુલ્લું મુકાયું હતું જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને વિજય ગુજરાત ની જનતા બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે ગેરંટી કાર્ડ સહિત ની યોજના અંતર્ગત માહિતી આપી હતી કેજરીવાલ ની વિચારધારા વિકાસ ની છે તેમ જણાવ્યું હતું હાલ ચોટીલા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ગ્રામસભા સાથે ઘરઘર સુધી પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવેલ છે જેમાં ચોટીલા પ્રમુખ દેવકરણભાઈ મુળી પ્રમુખ કીશોરભાઈ સહિત આપ નાં હોદેદારો જોડાયા હતા
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon