ખાંભા તાલુકા માં મનરેગા યોજના ની વિજિલન્સ તપાસ ની સુખડીયા ની સરકાર સમક્ષ માંગ ૧૧ તાલુકા માં ૩૬.૭૯ કરોડ પૈકી માત્ર ખાંભા તાલુકા માં ૧૧.૬૬ કરોડ ના કામો થયા છે ? - At This Time

ખાંભા તાલુકા માં મનરેગા યોજના ની વિજિલન્સ તપાસ ની સુખડીયા ની સરકાર સમક્ષ માંગ ૧૧ તાલુકા માં ૩૬.૭૯ કરોડ પૈકી માત્ર ખાંભા તાલુકા માં ૧૧.૬૬ કરોડ ના કામો થયા છે ?


ખાંભા તાલુકા માં મનરેગા યોજના ની વિજિલન્સ તપાસ ની સુખડીયા ની સરકાર સમક્ષ માંગ

૧૧ તાલુકા માં ૩૬.૭૯ કરોડ પૈકી માત્ર ખાંભા તાલુકા માં ૧૧.૬૬ કરોડ ના કામો થયા છે ?

અમરેલી જિલ્લા માં મનરેગા યોજના માં વિજિલન્સ તપાસ ની સુખડીયા ની માંગ ૧૧ તાલુકા માં ૩૬ કરોડ પૈકી માત્ર ખાંભા તાલુકા માં ૧૨ કરોડ ના કામો અનેક શંકા ઉભી કરનારું ગુજરાત સરકાર જિલ્લા કલેકટર
અમરેલી સમક્ષ જાણીતા RTI એક્ટિવિસ્ટ સુખડીયા એ વિગતે રજુઆત કરી મનરેગા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ અને વર્ષ ૨૦૨૩-૨૪ ના અમરેલી જિલ્લામાં થયેલ એક તરફ વિકાસ કામગીરી વિજીલ્યન્સ તપાસ કરવા માંગ કરી અમરેલી જીલ્લા ગામ વિકાસ એજન્સી મોનીટરીંગ તળે ચાલતી કેન્દ્ર સરકારશ્રી પ્રસ્તુત લોક કલ્યાણ અને વિકાસને પાધાન્ય આપતી 'મનરેગા' યોજનામાં અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં યોજનાના કામગીરીમાં ૧૧ તાલુકામાં કુલ ૩૬ કરોડ ૭૯ લાખની કામગીરી પૈકીની માત્ર ખાંભા તાલુકામાં એક મા જ ૧૧,૬૬,૩૭૦૦૦/- ખર્ચ થયો તેમા પણ મટીરીયલ્સ પાછળ રૂા. ૭,૩૬,૩૭૦૦૦/- ખર્ચવામાં આવેલ છે. એટલે કે, આખા જિલ્લા પૈકીના માત્ર એક જ ખાંભા તાલુકાના સ્પેશ્યલ સરકારશ્રી ની સૂચના કે પાયોરીટી કે જવાબદાર અધીકારીઓનું કોઈ મેળપણાથી મોટા ભાગની ગાન્ટ ખાંભા તરફ પણ કરવા પાછળ તપાસ થવી અત્યંત જરૂરી છે આ બાબતને ગંભીરતાથી લઈ યોગ્ય વિજીલન્સ મારફતે તપાસ થવા આદેશ આપવા રાજ્ય ના મુખ્યમંત્રી જિલ્લા પંચાયત પ્રમુખ અમરેલી ધારાસભ્ય કૌશીકભાઈ વેકરીયા હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા જનકભાઈ તળાવિયા વિગેરે ને પત્ર પાઠવ્યો આ અંગે યોગ્ય તપાસ કરાયો તો શાળા માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી ઓના નામે પણ રોજગારી ચૂકવાય હોય તો નવાઈ નહિ મનરેગા યોજના પાછળ ૧૧ તાલુકા માં ચૂકવાયેલ કરોડો ની ચુકવણી સામે અનેક તાલુકા માં સગીર વિદ્યાર્થી ઓના નામો પણ રોજગાર મેળવતા હોવા ની વિગતો RTI માં સામે આવી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.