ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પી. આઈ. સાહેબની અધ્યક્ષતામા મોહરમ અંગે મિટિંગ યોજાઈ. - At This Time

ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પી. આઈ. સાહેબની અધ્યક્ષતામા મોહરમ અંગે મિટિંગ યોજાઈ.


ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે પી. આઈ. સાહેબની અધ્યક્ષતામા મોહરમ અંગે મિટિંગ યોજાઈ.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં મોહરમ તહેવારને લઈને ધંધુકા પોલીસ સ્ટેશનના પી. આઈ. શ્રી પી. એન. ઝીંઝુવાડિયા સાહેબ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ધર્મની પોતાની માન્યતાઓ અને રિવાજો હોય છે તે રીતે મોહરમ એ ઇસ્લામિક મહિના અને તહેવારનું નામ છે. આ પવિત્ર મોહરમ તહેવારમાં સુલેહશાંતિ અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી તેમજ કોઈ અનિછનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ મિટિંગમાં એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા, ધંધુકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા,ભાજપ -કોંગ્રેસના કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસલીમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર : સી કે બારડ
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.