કમાલપુર જવાના રસ્તા ની દુર્દશા એવી છે ગંભીર અકસ્માત સર્જાયો તો જવાબદારી કોણ રહેશે ? - At This Time

કમાલપુર જવાના રસ્તા ની દુર્દશા એવી છે ગંભીર અકસ્માત સર્જાયો તો જવાબદારી કોણ રહેશે ?


કમાલપુર જવાના રસ્તા ની દુર્દશા એવી છે ગંભીર અકસ્માત સર્જાયો તો જવાબદારી કોણ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન માં વડનગર કમાલપુર જવાના રસ્તા પર ધરોઈ કેનાલ પર વડનગર અને કમાલપુર ઉમતા જોડતો પુલ ઉપર નો રોડ R&B ખાતે એ એવો રોડ બનાવ્યો છે કે જાણે કે એન્જિનિયર એ મોટું પેટ હોય તેવો રોડ બનાવ્યો છે.તે રોડ પર રાંધણ ગેસ‌ બોટલ ગોડાઉન આવેલું છે. તેથી ૨૪કલાક રોડ ચાલુ છે તેથી વડનગર થી કમાલપુર જવાના રસ્તા પર બમ્પ એવો બનાવ્યો છે. કે કોઈ મોટરસાયકલ લઈને અક્સ્માત પણ થાય છે. તેવો બમ્પ બનાવ્યો છે. તે રોડ પર ખાડા પણ પડી ગયા છે. તો આ વડનગર થી કમાલપુર ના રસ્તા પર ધરોઈ કેનાલ પર નો સમતલ રસ્તો બનાવ્યો હતો મોટરસાયકલ તથા વાહનચાલકો ને અક્સ્માત તથા સ્લીપ ના મારી જાય પરંતુ આ રોડ ની શરૂઆત થાય તે પહેલાં જ બમ્પ મુકવા આવ્યો છે તે પણ બમ્પ ના રખાયા R&B અને ધરોઈ કેનાલ ના એન્જિનિયર ઓ એવા છે કે આ કમાલપુર જવાના રસ્તા પર ટેકરો તથા ખાડો પડી ગયો છે તે ધ્યાન રાખતા જ નથી અને મોટી મોટી વાતો કરે છે પરંતુ વડનગર થી કમાલપુર નો જોડતો રોડ પર ખાડા તથા કપચી પણ ઉખડેલી છે આ રોડ ભયંકર અક્સ્માત થાય તો જવાબદાર R&B તથા વહીવટી તંત્ર રહેશે આ રોડ ને સમતલ કરી ને રસ્તો સરખો કરે તેવી પ્રજાજનો ની માંગ ઉઠી રહી છે તથા આતુરતા થી રાહ જોઈ રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.