ગરબાડા તાલુકાના ભિલવા ગામે પાણીનો નિકાલ ન થતાં રહેણાક વિસ્તાર નજીક પાણી પહોંચી જતા - At This Time

ગરબાડા તાલુકાના ભિલવા ગામે પાણીનો નિકાલ ન થતાં રહેણાક વિસ્તાર નજીક પાણી પહોંચી જતા


ગરબાડા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે નદી નાળા તેમજ તળાવો ભરાઈ ગયા હતા ત્યારે ભીલવા ગામે આવેલ તળાવ પણ નવા નીરની આવક થતાં ભરાઈ જવા પામ્યું હતું પરંતુ તળાવના પાણીનો નિકાલ ન થતાં ખેતરોમાં પાણી ફરી વળતા પાકને નુકશાન થવા પામ્યું હતું તેમજ તળાવની નજીક માં રહેણાક રહેતા લોકો તળાવમાં પાણીની સપાટીમાં વધારો થતાં મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા અને આ બાબતે ગામના સરપંચે તળાવ માંથી પાણીનો નિકાલ થાય અને લોકોને નુકશાન ના થાય તે હેતુથી ગરબાડા મામલતદારને આ બાબતે રજૂઆત કરાતા મામલતદાર સહિત ગરબાડા મામલતદારની ટીમ દ્વારા આ તળાવની મુલાકાત લઈ તળાવના પાણીના નિકાલ કરવા આશ્વાસન આપ્યું હતું.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.