તલોદ તાલુકામાં ૨ દિવસમાં જ હાર્ટએટેકથી રના મોત થયા. જવાનપુરા અને ખેરોલના યુવકો મોતને ભેટયા. - At This Time

તલોદ તાલુકામાં ૨ દિવસમાં જ હાર્ટએટેકથી રના મોત થયા. જવાનપુરા અને ખેરોલના યુવકો મોતને ભેટયા.


તલોદ તાલુકાના ખેરોલ અને જવાનપુરા ગામમાં હાર્ટ એટેકના બે બનાવોમાં એક ખેડૂત સહકારી આગેવાન અને એક મિસ્ત્રીનું મોત થવા પામ્યું છે.જેમાં તલોદ તાલુકાના જવાનપુરા ગામ- ૧૫ અશોકભાઈ અમૃતલાલ પટેલ ઉ.વર્ષ ડિરેક્ટર-તલોદ ૬૧(પૂર્વ માર્કેટયાર્ડ) સમાજ ના આગેવાન જેઓ કચ્છ ગયા હતા.જ્યાં હાર્ટ એટેકનો ભોગ બનતા ત્યાં જ જૈ સે થૈ જગ્યાએ ઢળી પડી મોતને ભેટ્યાના સમાચાર પરિવાર સહિત ગામ પંથક અને સમાજમાં પ્રસરી જતાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.જેમની આજે નિકળેલી અંતિમયાત્રામાં સહકારી,રાજકીય,સામાજીક અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાઈ મૃતકને શ્રધ્ધાંજલી અર્પિ હતી. જયારે બીજા બનાવમાં ખેરોલ ગામના રમેશભાઈ મિસ્ત્રીનું પણ ૨૯ માર્ચના રોજ એકાએક હાર્ટ એટેકથી મોત નિપજતાં છેલ્લા ૪૮ કલાકમાં હાર્ટ એટેકના બે બનાવો સામે આવતા પ્રજાજનો પણ છાતીમાં દુઃખાવા જેવી અસરને ગંભીરતા થી લઈ તાત્કાલિક રીપોર્ટ સારવાર કરાવતા થયા હોવાનું જાણવા મળી રહયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.