ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયાનો જન્મ દિવસ - At This Time

ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ બાંભણિયાનો જન્મ દિવસ


આજ રોજ ખોડલધામના ટ્રસ્ટી, અને જસદણમાં પાટિદાર શૈક્ષણીક ભવનના સ્વપન દ્રષ્ટા દિનેશ ભાઈ બાંભણિયાનો જન્મદિવસ છે. તેઓ ગુજરાતમાં પાટીદાર સમાજ આગેવાન તરીકે અને લોક પ્રશ્નમાં હર હંમેશ અગ્રેસર હોય છે. દિનેશભાઇ મુળ વતની રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામનાં છે. આજે જન્મ દિન નિમિતે મિત્ર વર્તુળ, અલગ અલગ રાજકીય ક્ષેત્રના આગેવાનો તથા જસદણના મેહુલભાઈ પારખીયા, ભરતભાઈ છાયાણી, કમલેશ ભાઈ પાનસુરીયા તથા સંજય ભાઈ હરખાણીએ શુભકામનાઓ પાઠવી હતી. દિનેશ ભાઈ નાની ઉંમરથી સામાજિક પ્રવૃતિઓમાં અને સામાજિક પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન હોય તેઓ હંમેશા હકારાત્મક અભિગમ અને વલણ સાથે કામગીરી કરે છે. દિનેશભાઇ જસદણમાં પાટીદાર શૈક્ષણીક ભવન બનાવી જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, સમૂહ લગ્ન, વિદ્યાર્થીઓ પરીક્ષા ઉપયોગી સેમિનાર, અને તૈયારીઓ જેવી અનેક પ્રવુતિઓ પણ કરાવે છે. હાલ જ વીંછિયા ખાતે સૌની યોજનાનું ખાતમુર્હુત સમયે જસદણમાં શૈક્ષણીક ભવનની મુલાકાત લીધેલ હતી. ત્યારે આજે દિનેશભાઇના જન્મ દિવસ નિમિતે અઢળક શુભેચ્છાઓ અને આશીર્વાદ મેળવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.