શ્રીમતી એમ એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાવોલ ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

શ્રીમતી એમ એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાવોલ ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું


શ્રીમતી એમ એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાવોલ ખાતે નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

આ કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ મહા આરતીથી શરૂ કરવામાં આવી શાળાના કમ્પાઉન્ડમાં તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને સમગ્ર સ્ટાફે મહા આરતી માં ભાગ લીધો ત્યારબાદ મહા આરતી પૂરી થયા વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી અને સમગ્ર શાળા પરિવારે ગરબા ગાવામાં આનંદ માણ્યો ગરબા પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો અને સમગ્ર સ્ટાફ મિત્રોને મહાપ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું. સુંદર ગરબા રમવા બદલ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો ખૂબ મહેનત કરી તે બદલ શાળાના આચાર્યશ્રી ડી કે ચૌધરી સાહેબે સમગ્ર શાળા પરિવારનો હૃદય પૂર્વક આભાર માન્યો. આ કાર્યક્રમની સફળ બનાવવા દૂધ મંડળીના પ્રમુખશ્રી મંત્રી શ્રી તમામ કારોબારી સભ્યો તથા સાઉન્ડ ની વ્યવસ્થા કરનાર હર્ષદભાઈ તથા મહાપ્રસાદ બનાવનાર ગોવિંદભાઈ નો હૃદય પૂર્વક શાળાના આચાર્યશ્રી આભાર માન્યો નવરાત્રી મહોત્સવ નું સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ચૌધરી સાહેબે સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા

નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.