હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે શ્રી દીપસિંહ રાઠોડ સાંસદ , સાબરકાંઠા - અરવલ્લી ની - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yrn5xz4lfa0vaw1o/" left="-10"]

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે શ્રી દીપસિંહ રાઠોડ સાંસદ , સાબરકાંઠા – અરવલ્લી ની


*હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે શ્રી દીપસિંહ રાઠોડ સાંસદ , સાબરકાંઠા - અરવલ્લી ની અધ્યક્ષતા હેઠળ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ , અજમેર અને વડોદરા ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે એક ઉચ્ચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.*

*જેમાં અમદાવાદ - હિંમતનગર - ઉદેપુરના તેમજ નડિયાદ - મોડાસાને જોડતી રેલવે લાઇનની વિવિધ કામગીરીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ જેમાં હિંમતનગર - અમદાવાદ ઇલેક્ટ્રિફિકેશન નું કાર્ય પૂર્ણ થયું છે ઉદેપુર - હિંમતનગર રેલવે લાઇનના ઇલેક્ટ્રિફિકેશન નું કામ ખુબ તીવ્ર ગતિથી ચાલુ જે અધિકારીઓના જણાવવા પ્રમાણે આગામી એપ્રિલ માસમાં પૂર્ણ થશે..*

*તેમજ હિંમતનગર થી ખેડબ્રહ્મા સુધીની બ્રોડગેજ રેલવે લાઇન પાથરવાની કામગીરી બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી જેમાં ઇડર તાલુકાના ખેડૂતો આગેવાનો પણ ઉપસ્થિત હતા તેમના ખેતરો માં આવવા - જવાના પ્રશ્નોનો આવશ્યક રીતે રેલવે વિભાગ કામગીરી કરવી તે બાબત માં ખેડૂતો દ્વારા સલાહ સૂચનો આપવામાં આવ્યા જેમાં ઔચિત્ય જણાતા રેલવેના અધિકારી ઓ ને જરૂરી સૂચના ને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા જણાવેલ...*

*एक बार फिर से मोदी सरकार*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]