રાજકોટમાં કારખાનેદારે ધ્વજવંદનની દોરીથી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પરિવારે એકનો એક આધાર સ્તંભ ગુમાવ્યો - At This Time

રાજકોટમાં કારખાનેદારે ધ્વજવંદનની દોરીથી ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, પરિવારે એકનો એક આધાર સ્તંભ ગુમાવ્યો


રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આપઘાતના જુદા જુદા પાંચ બનાવ સામે આવ્યા છે. જેમાં બેબી ડાયપર બનાવતા કારખાનામાં કારખાનેદારે ધ્વજવંદનની દોરીથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જ્યારે ચંપકનગરમાં રહેતી સગર્ભા, રામનાથપરામાં રહેતા સનીશ શેખ તેમજ સોરઠીયા પ્લોટ નજીક રહેતી શકીનાબેન શેખ અને ચિત્રકૂટ પાર્કમાં રહેતા જગદીશ પરમારે આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. જોકે, આ પાંચેય બનાવમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સ્વજને ભરેલા આ પગલાંથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે તમામની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.