દીપાવલીના પાવન પર્વની સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી - રામ મંદિર ખાતે ત્રિશોંપચાર મહાપૂજા, સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા - At This Time

દીપાવલીના પાવન પર્વની સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી ——— રામ મંદિર ખાતે ત્રિશોંપચાર મહાપૂજા, સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા


દીપાવલીના પાવન પર્વની સોમનાથમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી
---------
રામ મંદિર ખાતે ત્રિશોંપચાર મહાપૂજા, સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા
---------
સોમનાથ મંદિરના નૃત્ય મંડપ ખાતે શિવજી ના સ્વરૂપની રંગોળી ભક્તોમાં આકર્ષણ નું કેન્દ્ર બની
---------
ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર પૂજન કાર્યમાં જોડાયો

સોમનાથ તા.12/11/2023, દીપાવલી

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દીપવલીના પર્વ પર વિશેષ મહાપૂજા, શ્રૃંગાર, સહિતના ભક્તિમય આયોજન કરવામાં આવ્યા હતા. દીપવલી પર શ્રી સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પ, ચંદન, ભસ્મ, તેમજ વિવિધ આભૂષણ દ્વારા વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. વિશેષ ધાર્મિક આયોજનો ઉપરાંત સોમનાથ મંદિર, અતિથિગૃહો ને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા હતા. જેથી સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ ને પણ અદ્વિતિય આતિથ્યનો અનુભવ થયો હતો

દીપાવલી પર સોમનાથ મંદિરમાં તેમજ ટ્રસ્ટના શ્રી રામ મંદિરમાં રંગોળી, દીપમાળા, મહાપૂજા, મહાઆરતી, ત્રિશોંપચાર પૂજન, સહિતના ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી રામ પ્રભુ સહિત માતા લક્ષ્મી, માતા સરસ્વતી, અને શ્રી ગણેશનું પૂજન કરવામાં આવ્યું હતું.

દીપાવલી પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીની અધ્યક્ષતામાં ડિજિટલ ભારત તરફ આગળ વધતા ઓનલાઈન માધ્યમથી પણ ભક્તોને જોડવામાં આવ્યા હતા. દેશભરમાંથી ભક્તોએ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ પર લક્ષ્મી પૂજન નોંધાવ્યું હતું તેમને ઓનલાઈન મીટીંગ દ્વારા લક્ષ્મી પૂજન કરાવવામાં આવ્યું હતું. તેમજ સોમનાથ ખાતે તેઓના પૂજન થયેલા રોજમેળ અને લેખની તેઓના સરનામા પર મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લક્ષ્મી પૂજન નોંધાવનાર સ્થાનિકોને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ પૂજન વ્યવસ્થા અનુસાર પૂજન કરવામાં આવ્યું હતુ. તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટનું લક્ષ્મી પૂજન ટ્રસ્ટના સચિવશ્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.

જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.