વિહળધામ પાળીયાદના આદ્ય સ્થાપક વિસામણબાપુનો ૨૫૬ મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો - At This Time

વિહળધામ પાળીયાદના આદ્ય સ્થાપક વિસામણબાપુનો ૨૫૬ મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો


વિહળધામ પાળીયાદના આદ્ય સ્થાપક વિસામણબાપુનો ૨૫૬ મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો

સૌરાષ્ટ્રની પ્રખ્યાત અને જગ વિખ્યાત દેહાણ પરંપરાની જગ્યા વિહળધામ પાળીયાદના આદ્ય સ્થાપક વિસામણબાપુનો આજે તારીખ:- ૧૪/૦૨/૨૦૨૪ ને બુધવાર વી.સં.૨૦૮૦ મહાસુદ-પાંચમ એટલે કે વસંત પંચમીના શુભ પવિત્ર દિવસે ૨૫૬ મો પ્રાગટ્ય દિવસ છે ત્યારે આ પર્વ નિમિતે પાળીયાદ જગ્યામાં ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને અન્નકોટ ધરવામાં આવેલ તેમજ જગ્યાની શ્રી બણકલ ગૌશાળામાં ગાયમાતાને લાપસી આપવામાં આવેલ તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય ખુબ મોટી સંખ્યામાં આવેલ અને ઠાકર શ્રી વિહળાનાથના દર્શન કરી નિર્મળાબાના દર્શન કરી ભયલુબાપુના દર્શન કરી ઠાકરની મહાઆરતીનો લાભ લીધેલ ત્યારબાદ સૌએ ભોજન પ્રસાદ લીધેલ અને ખુબ ધન્યતા અનુભવેલ વિસામણબાપુનો જન્મ કાઠીકુળમાં પાતામણબાપુને ત્યાં પાળીયાદની પાવનધરા પર સં.૧૮૨૫ ના મહાસુદ પાંચમ વસંત પંચમીને રવિવારના શુભ દિને અનેક જીવાત્માના કલ્યાણ માટે તેમજ ભારતની સનાતન સંસ્કૃતિ ની સેવા અર્થે વિસામણબાપુ પ્રગટ્યા.વિસામણબાપુને રામદેવપીર મહારાજનો અવતાર માનવામાં આવે છે અને જેના પ્રમાણ પણ મળી આવેલ છે.એવા વિસામણબાપુ દ્રારા નાનપણ થીજ દિન દુખીયા અને વટે મારગુ માટે અન્નક્ષેત્રની સદાવ્રત શરૂ કરેલ હતી અને જગ્યામાં ટુકડો ત્યાં હરિ ઢુકડોના સૂત્રથી ભજન તથા ભોજનની સેવા ગંગા શરૂ કરી ધર્મના ધજાગરા રોપેલા.આ અવિરત સેવાગંગા આટલા વર્ષો પછી પણ આ ઉજળી પરંપરા દ્વારા ભોજન ભજન અને ગૌસેવા અને જનહિત કાર્યો અનેક સેવાયજ્ઞો આજ દિન સુધી વિસામણબાપુની કૃપાથી થઇ રહ્યા છે.કળજુગ મા પણ જેમના પરચા અપરંપાર છે સમરે હાજર છે અને રોકડીયા ઠાકરની ઉપમા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.