સાયલા ના સેજકપર ગામે સ્વ : કાનજીભાઈ પ્રજાપતિ ની તૃતીય પુણ્યતિથિ નિમિતે સંતવાણી યોજાઈ. - At This Time

સાયલા ના સેજકપર ગામે સ્વ : કાનજીભાઈ પ્રજાપતિ ની તૃતીય પુણ્યતિથિ નિમિતે સંતવાણી યોજાઈ.


પ્રજાપતિ સમાજ એક સેવાભાવી સમાજ તરીકે જાણીતો છે જેને લોકો કુંભાર ભગત પણ કહે છે. આવુજ કાર્ય સાયલા તાલુકાના સેજકપર ગામે કુંભાર ભગત તરીકે ઓળખાતા સ્વ : કાનજીભાઈ મોહનભાઈ પ્રજાપતિ હતા જે કાયમ માટે કોઈપણ અતિથિ નું આશ્રય સ્થાન હતું. તથા કાનજીભાઈ અબોલ જીવ માટે પણ સેવા કરતા હતા. કીડી ને કીડીયારું પૂરતા, આવા પુણ્યશાળી વ્યક્તિ ના સંતાનો પણ એમના પગલે કાર્ય કરી રહ્યા છે. જે જેરામભાઈ કાનજીભાઈ દ્વારા સ્વ : કાનજીભાઈ મોહનભાઈ ની તૃતીય પુણ્યતિથિ નિમિતે સંતવાણી યોજવામાં આવી હતી. અને આ સંતવાણી માં જે પણ રકમ આવે તે સેજકપર ગામની જીવદયા ગ્રુપ ની ગૌશાળા માં અર્પણ કરવામાં આવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.