પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર-૧ બોટાદ ને નિવૃત્ત થતાં શિક્ષિકા શ્રીમતી મીનાબેન જાસોલિયા તરફથી વોટર કુલર ભેટ... - At This Time

પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર-૧ બોટાદ ને નિવૃત્ત થતાં શિક્ષિકા શ્રીમતી મીનાબેન જાસોલિયા તરફથી વોટર કુલર ભેટ…


પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર -૧,બોટાદ ના સ્વૈચ્છિક નિવૃત્ત થતા શિક્ષિકા શ્રીમતી મીનાબેન જાસોલિયા તરફથી વોટર કુલર ભેટ... નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બોટાદ સંચાલિત પંડિત દીન દયાળ પ્રાથમિક શાળા નંબર ૧,બોટાદ ના શિક્ષિકા શ્રીમતી મીનાબેન જાસોલિયા સ્વૈચ્છિક નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેઓએ શાળાના બાળકોને ઠંડું પાણી કાયમ માટે મળતું રહે તેવા ઉમદા હેતુથી વોટર કુલર અર્પણ કરેલ છે. વોટર કુલર અર્પણ ના કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદના ચેરમેન શ્રી, પ્રતીકભાઈ વડોદરિયા, શાસનાધિકારી શ્રી ડી.બી. રૉય, શિક્ષણ સમિતિના સભ્ય દલસુખભાઈ અમદાવાદી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના કેતનભાઇ રોજેસરા, લાલજીભાઈ, કાનજીભાઈ, સહેલી ગ્રુપના નીતાબેન લાખાણી, દીનાબેન વડોદરિયા, રેખાબેન ડુંગરાણી,હેમલત્તાબેન દેસાઈ ઉપસ્થિત રહેલા. કાર્યક્રમના અંતે મીનાબેન જાસોલિયાના જન્મદિવસ નિમિત્તે શાળાના તમામ બાળકોને પાઉભાજી ભોજન કરાવવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેન્દ્રભાઈ ખાચર દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની આભાર વિધિ રાજેશભાઈ મોરડીયા એ કરેલ.

report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.