પોરબંદર-સાંતરાગાછી અને પોરબંદર-શાલીમાર ટ્રેનો માટે વાંકાનેર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું - At This Time

પોરબંદર-સાંતરાગાછી અને પોરબંદર-શાલીમાર ટ્રેનો માટે વાંકાનેર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું


પોરબંદર-સાંતરાગાછી અને પોરબંદર-શાલીમાર ટ્રેનો માટે વાંકાનેર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું

મુસાફરોની સુવિધા માટે,પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી પોરબંદર-સાંત્રાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો માટે વાંકાનેર સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.જેની વિગતો નીચે મુજબ છે.(1) ટ્રેન નંબર 12949 પોરબંદર - સંત્રાગાછી કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ(દર શુક્રવારે)15.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે.(2) ટ્રેન નં. 12905 પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર બુધવાર અને ગુરુવારે) 20.03.2024થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.